Chapter : નમાઝ
(Page : 367)
સવાલ :– ઈમામ સા. સફેદ દાઢીને કાળો ખિઝાબ લગાડે છે. અમુક નમાઝીઓનું કહેવું એમ છે કે તે કલર આવે છે. તેના હિસાબે નમાઝ થતી નથી અને શરીઅતના હિસાબે પણ હરામ છે તો ગિલાફ કરવા વિશે શું હુકમ છે ? નમાઝ થઈ જશે કે નહિં ? કે મકરૂહ છે ? નમાઝ દોહરાવવી પડશે કે ફક્ત ગિલાફ કરનાર ગુનેહગાર થશે ?
જવાબ :– દાઢીના સફેદ વાળોને કાળો ગિલાફ લગાડવો મકરૂહે તહરીમી છે અને જે ઈમામને તે લગાડવાની આદત હોય તે ફાસિક છે. તેની ઈમામત અને તેની પાછળ નમાઝ પઢવી મકરૂહ છે. માટે ઈમામ જ્યાં સુધી આવી આદત છોડી તૌબા ન કરે ત્યાં સુધી તેને ઈમામ બનાવવો મકરૂહ છે. (શામી–૧/ર૭૧, ઈમ.ફતાવા–૪/ર૧પ અહ. ફતાવા, –૩/ર૯૪)
Log in or Register to save this content for later.