Chapter : નમાઝ
(Page : 368)
સવાલ :– નાબીના (અંધ) જે હાફિઝે કુરઆન છે. તેમની પાછળ ફર્ઝ નમાઝ પઢી શકાય કે નહિ ? નાબીના હાફિઝ સાહેબ પૂરેપૂરા નાબીના નથી, નજીકથી જોઈ શકે છે. અને નાબીના હાફિજ સાહેબ તરાવીહમાં ઈમામત કરાવી શકે કે નહિ ?
જવાબ :– મજકૂર હાફિઝ સાહેબ નાપાકીથી બચી શકતા હોય અને વુઝૂ ગુસલ સારી રીતે અદા કરી શકતા હોય અને કોઈની મદદ વગર પોતે નમાઝમાં કિબ્લા તરફ બરાબર મોઢું કરી ઉભા રહી શકતા હોય તો તેઓની ઈમામત વિના કરાહતે જાઈઝ છે. ફર્ઝ અને તરાવીહ બન્નેમાં આવા હાફિઝ સાહેબ ઈમામત કરાવી શકે છે. (ફતાવા મહમૂદિય્યહ ભાગ :૭ / ૯૦)
Log in or Register to save this content for later.