[૩૧૮] ગલત પઢનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 356)

સવાલ :– ઈમામ સાહેબ કિરાઅતમાં ઘણી ભૂલો કરે છે. ઝબરની જગ્યા પર પેશ તેમજ વાવની જગ્યાએ ઝેર, આ રીતે ઘણી વખતે ઉચ્ચાર કરી પઢે છે તો આ વિશે શું હુકમ છે ?

જવાબ :– કુર્આન શરીફ ગલત પઢનારની ઈમામત દુરુસ્ત નથી, જ્યારે કે જમાઅતમાં કોઈ દુરુસ્ત પઢનાર માણસ હાજર પણ હોય. જો તેણે એ પ્રમાણેની કોઈ ભૂલ કરી હશે, જેનાથી અર્શ બદલાઈ જાય તો નમાઝ ફાસિદ થઈ જશે અને જો એવી ગલતી ન હોય તો નમાઝ ફાસિદ નહિ થાય, પરંતુ મુતવલ્લીની જવાબદારી છે કે કોઈ સહીહ અને સારુ  પઢનારને ઈમામ નક્કી કરે.  (શામી : ૧/૩૯૧, કિ. મુફતી : ૩/૩પ–૮પ, ઈમ. ફતાવા : ૧/૪૦૭)

Log in or Register to save this content for later.