[૩ર૮] હનફી બીજા ફિકહ મુજબ નમાઝ પઢાવે

Chapter : નમાઝ

(Page : 363)

સવાલ :– અહીં ઈન્ડિયા–પાકિસ્તાનથી હનફી ભાઈઓ આવે છે અને શાફઈ–હમ્બલી તરીકા મુજબ ઈમામત કરે છે. એમના તમામ તરીકાઓ અપનાવે છે. અમારે એ જાણવું છે કે આ મૌલાનાઓ ફરી પાછા દેશમાં આવી હનફી તરીકા મુજબ ઈમામત કરી શકે અને એમની પાછળ નમાઝ પઢી શકાય કે નહી ? યાદ રહે કે આ કામ ફક્ત પૈસા માટે થાય છે. મેં એવા પણ મૌલાનાઓ જોયા છે જે હનફી છે. અહીં જનાઝાની નમાઝ શાફઈ–હમ્બલી તરીકા મુજબ પઢે છે, માટે ખુલાસો જણાવશો.

જવાબ :– હનફી, શાફઈ, માલિકી, હમ્બલી એમ ચાર ફિકહી મઝહબોમાં નમાઝ વુઝૂ, વગેરેના મસાઈલ અને તરીકાઓમાં જે વિવાદાસ્પદ બાબતો છે તે બાબતોમાંથી અમૂકનો વિવાદ અફઝલ–બેહતર અને ગેર અફઝલ–ગેર બેહતરનો છે, જ્યારે અમુક બાબતોનો વિવાદ જાઈઝ– નાજાઈઝ અને મકરૂહે તહરીમી તથા જાઈઝ હોવાનો છે. નમાઝની જે બાબતોનો વિવાદ અફઝલ ગેર અફઝલનો છે, તે બાબતોમાં હનફી ઈમામ વધુ પડતા મુક્તદીઓની રિઆયત કરી શકે છે અને હમ્બલી અથવા શાફઈ તરીકા મુજબ નમાઝ પઢાવે તો નમાઝ દુરુસ્ત છે અને તેઓની પાછળ નમાઝ પઢી શકાય છે. જો કે માત્ર પૈસા માટે જ આ પ્રમાણે બીજા તરીકા મુજબ નમાઝ પઢાવવી બેહતર નથી.(શામી, ભાગ–૧/પ૧)

Log in or Register to save this content for later.