Chapter : નમાઝ
(Page : 362)
સવાલ :– અઝાન આપનારથી ઈમામત થઈ શકે કે નહી ? એહલે હદીસની કિતાબમાં ઝઈફ હદીસ છે કે અઝાન આપીને ઈમામત ન થઈ શકે. (તલખીસ, ઝયલઈ, કન્ઝુલ ઉમ્માલ, જામિઉસ્સગીર.)
જવાબ :– અઝાન આપનાર વિના કરાહતે ઈમામત કરાવી શકે છે, બલ્કે ‘દુર્રે મુખ્તાર’માં છે કે ઈમામનું મુઅઝ્ઝિન હોવું અફઝલ છે, કારણ કે હદીસ શરીફથી એવા માણસને ઈમામત સોંપવાની તાકીદ છે કે જે બધામાં અફઝલ હોય અને એ જ પ્રમાણે મુઅઝ્ઝિન પણ એવા જ માણસને બનાવવાનો હુકમ છે. ઈમામ તિરમિઝી (રહ.)એ એક હદીસમાં નકલ કર્યું છે કે હઝરત રસૂલુલ્લાહે (સલ.) એક સફરમાં અઝાન આપી અને સહાબએ કિરામ (રદિ.)ને નમાઝ પણ પઢાવી અને અલ્લામહ નવવી (રહ.)એ મજકૂર હદીસને કવી અને મજબૂત બતાવી છે. (શામી, ભાગ–૧/ર૬૮)
બુખારી શરીફ, મુસ્લિમ શરીફ, તિરમિઝી શરીફ, સુનને નસાઈ, સુનને ઈબ્ને માજહ અને સુનને અબૂ દાવૂદ શરીફ આ બધી જ સિહાહ સિત્તહ કિતાબોમાં આ મજમૂનની સહીહ હદીસ છે કે હઝરત માલિક બિન હુવૈરિસ (રદિ.) કહે છે કે જ્યારે મેં અને મારા કાકાના દિકરાએ હઝરત રસૂલુલ્લાહ (સલ.)ની ખિદમતમાંથી પાછા ફરવાનો ઈરાદો કર્યો તો રસૂલુલ્લાહે (સલ.) અમો બન્નેથી ફરમાવ્યું કે જ્યારે સફરમાં નમાઝનો વખત થાય તો તમો બન્ને અઝાન અને ઈકામત પઢજો અને તમારા બન્નેમાંથી જે મોટો હોય તે તમારો ઈમામ બને. (નસબુર્રાયહ –૧)
ઉક્ત હદીસમાં ‘‘તમો બન્ને અઝાન અને ઈકામત પઢજોનો મતલબ એ છે કે બન્નેમાંથી ગમે તે કોઈ એક અઝાન અને ઈકામત પઢે, અને જે મોટો હોય તે ઈમામત કરે, જાહેર વાત છે કે આ હદીસથી એ જ સાબિત થાય છે કે જે ઈમામત કરે તે પણ અઝાન આપી શકે છે. જો ઈમામ અઝાન ન આપી શકતો હોત તો આપ (સલ.) આ પ્રમાણે સૂચના આપત કે બેમાંથી એક અઝાન અને ઈકામત પઢે અને બીજો ઈમામત કરાવે અથવા બેમાંથી જે નાનો હોય તે અઝાન આપે અને જે મોટો હોય તે ઈમામત કરાવે, જ્યારે સહીહ હદીસોથી અને તે મુજબ હનફી ફિકહની કિતાબોથી ઈમામની અઝાનનું જાઈઝ હોવું બલ્કે અફઝલ હોવું સાબિત છે તો પછી સહીહ હદીસોના હોવા છતાં અબ્દુલ જલીલ સામરોદી સાહેબ જેવા ગેર મુકલ્લિદની કિતાબ તઅ્લીમુદ્દીનના પેજ રપ ઉપર નકલ કરેલ ઝઈફ હદીસના આધારે ઈમામ માટે અઝાન આપવાને નાજાઈઝ અથવા મકરૂહ સમજવું ક્યાં દુરુસ્ત રહયું.
Log in or Register to save this content for later.