Chapter : નમાઝ
(Page : 360)
સવાલ :– પેશ ઈમામ એક માસમાં લગભગ ૪૦ ટકા નમાઝોમાં સુન્નતો પઢયા વગર પેશ ઈમામ પદ માટે ઉભા રહી જાય તો એવા પેશ ઈમામને ઈમામતના પદે રાખી શકાય ?
જવાબ :– સુન્નતે મુઅક્કદહને વારંવાર છોડવાની આદત બનાવી લેવી મકરૂહે તહરીમી છે અને સુન્નતે ગેર મુઅક્કદહને વારંવાર છોડવાની આદત બનાવી લેવી મકરૂહે તન્ઝીહી છે અને એવી આદત બનાવી લેનાર માણસ ઈમામતના લાયક નથી, જ્યાં સુધી તે આદત ન છોડે તેઓને ઈમામ ન બનાવવા જોઈએ. (શામી, ભાગ–૧/૩૧૮–૪૩૯)
Log in or Register to save this content for later.