Chapter : નમાઝ
(Page : 359)
સવાલ :– ઈમામતના સમયે સુન્નત તરીકા મુજબ લિબાસ પહેરેલ ઈમામ હાજર હોવા છતાં સુન્નતના ખિલાફ લિબાસ પહેરેલ વ્યક્તિએ તેમની હાજરીમાં ઈમામત કરાવવું કેવું છે ?
જવાબ :– જો બેમાંથી કોઈ એક પણ ઈમામ તરીકે નક્કી ન હોય અને દીની ઈલ્મ, કિરાઅત પરહેઝગારી, ઉમર, સદ્ગુણો, રાત્રિ ઈબાદતગુઝારી, ખાનદાની માન,મરતબામાં બન્ને વ્યક્તિઓ બરાબર હોય તો સુન્નતના મુતાબિક લિબાસ પહેરનાર વ્યક્તિનું ઈમામ હોવું અફઝલ છે. જો ખિલાફે સુન્નત લિબાસ પહેરનારે પોતાનું ફર્ઝ સતર બરાબર ઢાંક્યું હશે તો નમાઝ તો તેની પાછળ પણ દુરુસ્ત થઈ જશે, પણ ઈમામ ન હોવાની હાલતમાં પોતાનાથી સારા માણસને ઈમામત માટે આગળ કરવો જોઈએ. (દુ. મુખ્તાર, શામી : ૧/૩૭૪)
Log in or Register to save this content for later.