Chapter : નમાઝ
(Page : 358)
સવાલ :– કોઈ ઈમામનું અથવા મુક્તદીનું ચાલુ નમાઝમાં વુઝૂ તૂટી ગયું તો ઈમામ કે મુક્તદી મસ્જિદથી કેટલી હદ સુધી વુઝૂ કરવા બહાર જાય જેથી તેની પહેલી નમાઝ બાકી રહે ? એક ભાઈનું કહેવું છે કે જ્યારે વુઝૂ કરવાની હોઝ કે ટાંકી મસ્જિદથી અથવા સહનથી બિલ્કુલ બહાર હોય તો આખી નમાઝ ફરી પઢવી પડશે–જ્યારે બીજા ભાઈનું કહેવું છે કે મસ્જિદની બહાર કે સહનની બહાર હોઝ કે ટાંકીનું હોવું એ કોઈ હદ નથી–વુઝૂ તૂટી ગયું તો તે માણસ વાત ન કરે તો એની પહેલી નમાઝ બાકી રહે છે, જેથી આપ યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ :– જો મસ્જિદના કમ્પાઉન્ડમાં હોઝ અથવા નળવાળી ટાંકી નથી કે જેના પાણીથી વુઝૂ કરી શકાય તો મસ્જિદ અને સહનથી બહાર પણ વુઝૂ કરવા જઈ શકાય છે અને નમાઝ બાકી રાખી શકાય છે. અલબત્ત નમાઝ બાકી રહેવા માટે એ વાતનો ખયાલ રાખવો જરૂરી છે કે સૌથી નજીક એવી જગ્યા જ્યાં કૂવામાંથી પાણી ખેંચ્યા વગર અને કોઈથી માંગ્યા વગર, ભીડભાળ વગર જ્યાં પાણી મળી શકતું હોય ત્યાં જઈ વુઝૂ કરવું જરૂરી છે, જો એવી નજીકની જગ્યાનું પાણી ધ્યાનમાં હોવા છતાં ત્યાંથી બે સફોના પ્રમાણથી વધુ દૂર આવેલી જગ્યાએ જઈ વુઝૂ કરશે તો નમાઝ બાકી નહિ રહે. નવેસરથી પઢવી પડશે. (શામી : ૧/૪૦૭)
Log in or Register to save this content for later.