[૩રર] હનફી ઈમામે ફજરમાં કુનૂત પઢવું

Chapter : નમાઝ

(Page : 359)

સવાલ :– હનફી ઈમામ નીચેના કારણોના લઈ ફજરની નમાઝમાં કુનૂત પઢે તો નમાઝમાં વાંધો આવશે ખરો ?

(૧) ફજરની નમાઝમાં બધા જ શાફઈ હોય છે, એક પણ હનફી હોતો નથી,

(ર) હનફી ઈમામ કુનૂત પઢયા વગર સજદહમાં જતો રહે તો શાફઈ મુક્તદી ઈમામની તાબેદારી છોડી કુનૂત પઢી રહયા પછી સજદહમાં જાય છે,

(૩) અથવા હનફી ઈમામ સલામ ફેરવે ત્યારે શાફઈ મુક્તદી સજદએ સહ્‌વ કરી નમાઝ પુરી કરે છે,

(૪) અથવા નમાઝ પૂરી થયા બાદ ફરી ફર્ઝ નમાઝ પઢે છે.

જવાબ :– હનફી ઈમામ માટે દર્શાવેલા કારણોને લઈને ફજરની નમાઝમાં કુનૂત પઢવું જાઈઝ નથી. જો પઢશે તો નમાઝમાં નુકસાન પેદા થશે અને નમાઝનો ઈઆદો કરવો હનફી માટે જરૂરી બનશે. (શામી, ભાગ–૧/૪૪૯)

Log in or Register to save this content for later.