Chapter : ઝકાત
(Page : 76-77)
સવાલ :– મારી માલિકીની દુકાન આજથી ચાર માસ પહેલાં ૧/૧૦/૧૯૯૩ ના વેચાણ કરેલ હતી. તે રકમમાંથી મેં મિલ્કત ખરીદ કરેલ છે અને હજ પઢવા માટે હવાઈ જહાઝ અને મકાન ભાડાની રકમ ભરેલ છે. તો તા–૧૩/ર/૧૯૯૪ (પહેલી રમઝાને) મારી પાસે જે રકમ રહે છે તે રકમની ઝકાત આ વર્ષે કાઢવી મારા ઉપર ફર્ઝ છે ? અને જે રકમમાંથી મારે રૂપિયા ૮૪૦૦૦/– હજ ખર્ચના ર૦/ર/૯૪ સુધીમાં બીજા પૈસા ભરવાના છે તો અગર ઝકાત કાઢવાની હોય તો તેમાંથી ૮૪૦૦૦/– ઓછા કરી શકાય ? વિગતવાર ખુલાસો શરઈ રીતે આપશો.
જવાબ :– જે રકમ તમે હવાઈ જહાઝ અને મકાનના ભાડા પેટે ચૂકવી આપી છે તેની ઝકાત આપવી ઝરૂરી નથી પરંતુ જો તમારું ઝકાતનું વર્ષ પૂરું થયા પછી ભરપાઈ કરી હોય તો તેની ઝકાત આપવી ઝરૂરી છે. તમારું ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે તમારી પાસે જેટલી રકમ જમા હોય તે બધી રકમની ઝકાત આપવી ઝરૂરી છે. તેમાંથી ભવિષ્યમાં થનાર હજનો ખર્ચ ૮૪૦૦૦/– બાદ કરવામાં નહિ આવે. (શામી–ર)
Log in or Register to save this content for later.