[૧૬૪] મર્હૂમના વીમાની રકમમાંથી હજ પઢવી

Chapter : હજ

(Page : 222-223)

સવાલઃ– અમારા ભાઈ સાદિક કે જે હાલ જન્‍નતનશીન થઈ ગયા છે, તઓએ જીવન વીમા યોજનામાં તેમનો વીમો ઉતરાવેલ છે અને અમોને તેમના વીમાની રકમના પૈસા મળેલ છે, અમારા ભાઈની વીમાની રકમના પૈસામાંથી અમો હજ્જે બયતુલ્લાહ જવા માટે ઉમ્મીદ કરીએ છીએ, તો શું અમો વીમાની રકમથી હજ કરી શકીએ કે કેમ?

જવાબ :– જેટલી રકમ તમારા ભાઈ મરહૂમે વીમા કંપનીમાં ભરપાઈ કરી હતી તેટલી રકમ તો મરહૂમ ભાઈના શરઈ વારસદારોમાં શરીઅતના નિયમો મુજબ વહેંચવામાં આવશે અને વીમા કંપની તરફથી જે વધારાની રકમ મળે તે ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમોને સવાબની નિય્યત વગર સદકહ કરી આપવી જોઈએ, કારણ કે વધારાની રકમ એ વ્યાજની રકમ છે, માટે મળનાર રકમના અમુક ભાગથી કે પૂરી રકમથી કોઈ વારસદારે હજ પઢવી દુરસ્ત નથી, કારણ કે તેમાં બીજા વારસદારોનો પણ હક છે અને અમુક હરામ રકમ છે.

وفی الشامی : قال فی البحر ویجتھد فی تحصیل نفقۃ حلال، فانہ لا یقبل بالنفقۃ الحرام کما ورد فی الحدیث مع أنہ یسقط الفرض عنہ معھا ولا تنافی بین سقوطہ وعدم قبولہ فلا ثیاب لعدم القبول ولا یعاقب عقاب تارک الحج۔ ) الشامی نعمانیہ :جـ :۲،صـ :۱۴۰(

وفیہ أیضا : یبدأ من ترکۃ المیت الخالیۃ عن تعلق حق الغیر بعینھا۔)الشامی نعمانیہ :جـ :۵،صـ :۴۸۳(

وفیہ أیضاً : فیجب رد عین الربوا لوقائما لا رد ضمانہ۔ )الشامی نعمانیہ :جـ :۴،صـ :۱۷۶(

Log in or Register to save this content for later.