Chapter : હજ
(Page : 220-221)
સવાલઃ– એક ભાઈ પર હજ ફર્ઝ છે. પોતાની ઝિંદગીમાં હજ ના પઢી, એના ઈન્તેકાલ પછી રિશ્તેદારો હજ્જે બદલ પઢાવવા માંગે છે તો મરનારના માલમાંથી હજ્જે બદલનો ખર્ચ લેવો જાઈઝ છે કે નહિ? હજ્જે બદલ માટે કયા માણસને મોકલવો જોઈએ? જેણે પહેલાં હજ કરી હોય અથવા પહેલાં હજ ના કરી હોય, હજ્જે બદલની વસિય્યત કરવી જરૂરી છે કે નહિ? મરનારે હજ્જે બદલની વસિય્યત ના કરી હોય તો એના રિશ્તેદારો મરનાર તરફથી હજ્જે બદલ કરાવી શકે કે નહિ?
જવાબ :– જે માણસ પર હજ ફર્ઝ થઈ ચૂકી હોય અને અદા કરવાની તક પણ મળી હોય અને તે હજ અદા કરતાં પહેલાં મરવાના નજીક થઈ જાય તો તેણે પોતાના વારસદારો ને હજ્જે બદલની વસિય્યત કરવી વાજિબ છે, જો તેણે વસિય્યત કરી હોય તો તેણે છોડેલી માલ મિલકતમાંથી કફન દફન ખર્ચ અને દેવું હોય તો તે ચૂકવ્યા પછી બાકી પડતા માલના ત્રીજા ભાગમાંથી તેની હજ્જે બદલ કરાવવી વારિસો પર વાજિબ છે, જો વસિય્યત છતાં નહિ કરાવે તો વારસદારો ગુનેહગાર થશે.
જો મરનારે હજ ફર્ઝ હોવા છતાં વસિય્યત ન કરી તો તે ગુનેહગાર ગણાશે અને વસિય્યત ન હોવા છતાં બાલિગ વારિસો માટે પોતાના વારસા ભાગમાંથી મર્હૂમની હજ્જે બદલ કરાવવી જાઈઝ છે જરૂરી નથી, બન્ન સૂરતોમાં વારિસોએ કોઈ એવા આલિમને હજ્જે બદલ માટે મોકલવા અફઝલ છે જેઓએ પોતાની ફર્ઝ હજ અદા કરી લીધી હોય અને એવી વ્યકિતને મોકલવી કે જેના ઉપર હજ ફર્ઝ હોવા છતાં તેણે અદા ન કરી હોય એ મોકલનાર માટે મકરૂહે તનઝીહી છે અને જનાર માટે મકરૂહે તહરીમી છે અને એવા માણસને મોકલવો કે જેના પર હજ ફર્ઝ નથી અને તેણે હજ પઢી પણ નથી એ અફઝલ વિરૂધ્ધ છે. (શામી–ર/ર૪૧)
Log in or Register to save this content for later.