[૧૪૬] હજ્જે બદલની કુરબાની વતનમાં

Chapter : હજ

(Page : 206-207)

સવાલઃ – હું એક વખત મારી પોતાની હજ કરી આવ્યો છું, હવે મારી વાલિદહ તરફથી હજ્જે બદલ કરવાનો ઈરાદો છે. જો હજ્જે બદલમાં આપણે જઈએ અને કુરબાની ઈન્ડિયામાં આપીએ તો ચાલે કે નહિ? કે પછી જેના તરફથી હજ્જે બદલ કરીએ છીએ તેની કુરબાની મકકહમાં જ કરવી પડે? (ઈબ્રાહીમ મુહંમદ પટેલ,  રિયાદ–સઉદી અરબિય્યહ)

જવાબ : – પોતાના વાલિદહ તરફથી જે હજ્જે બદલ કરવામાં આવશે તે તેઓના તરફથી હજ થયેલી ગણાશે અને તે હજમાં તમારે હજની કુરબાની ત્યારે જ કરવી પડે જયારે કે તમો એક જ એહરામથી અથવા અલગ અલગ એહરામથી ઉમરહ અને હજ બન્‍ન ઈબાદતો એક સફરમાં અદા કરો જો તમો ઉમરહ ન કરવાના હોય અને ફકત હજ્જે બદલ જ અમ્મા તરફથી કરવાના હોય તો તમારે હજની કુરબાની કરવી વાજિબ નથી અને જો ઉમરહ પણ કરવાના હોય તો હજની કુરબાની અમ્મા તરફથી નહિ, પણ તમારા પોતાના તરફથી કરવી વાજિબ છે. અને તે કુરબાની ત્યાં મકકહમાં જ કરવી જરૂરી છે. પોતાના વતનમાં અદા ન થઈ શકે.

                અલબત્ત તમારી ઈદની કુરબાની જો કુરબાનીના દિવસોમાં તમારા મુકીમ હોવાના લઈ વાજિબ હોય તો તે તમારા તરફથી તમો વતનમાં કરાવી શકો છો પરંતુ હજની કુરબાની જો ઉપરોકત વિગત મુજબ કરવાની થાય તો તે મકકહ મુર્કરમહમાં જ કરવી પડે. (શામી–ર)

Log in or Register to save this content for later.