Chapter : હજ
(Page : 200-201)
સવાલ :– હજ્જે બદલ માટે જનાર તમત્તુઅ કરી શકે કે નહિ?અને જો કરી શકે તો ”તમત્તુઅ” ની કુર્બાનીનો ખર્ચ હજ કરનારે પોતાની પાસેથી આપવો પડશે કે હજ કરાવનાર પાસેથી લેવામાં આવશે?
જવાબ :– જો હજ્જે બદલ કરનારે હજ કરવાના દિવસોથી લાંબી મુદ્દત પહેલાં સફર કરવો પડતો હોય અને ઉમરહ હજ દરમિયાનના લાંબા ગાળામાં એહરામની પાબંદીઓ મુશ્કિલ માલૂમ પડતી હોય તો મોકલનારની ઈજાઝતથી હજ્જે બદલમાં ”તમત્તુઅ” કરવાની ગુંજાઈશ છે.
પરંતુ જો હજના દિવસોથી નઝદીકના દિવસોમાં જ સફર હોય અથવા લાંબો ગાળો હોવા છતાં એહરામની પાબંદીઓ સખત ન જણાતી હોય તો મોકલનારની ઈજાઝત હોવા છતાં તમત્તુઅ કરવાથી મોકલનારે ત્થા જનારે એહતિયાત કરવો લાઝિમ છે. કારણ કે મુલ્લા અલી કારી (રહ.), હઝ. મૌલાના ગંગોહી (રહ.) અને મૌલાના ખલીલ અહમદ સહારનપૂરી (રહ.)એ તમત્તુઅની સૂરતમાં હજ્જે બદલ કરવાને નાજાઈઝ બતાવ્યું છે. હા, જો મોકલનારની ઈજાઝત હોય તો જનાર ”કિરાન”ની સૂરતમાં વિના સંકોચે હજ કરી શકે છે. અને દરેક સૂરતમાં બેહતર એ જ છે કે જો મોકલનાર બન્નવ ઈબાદતોનો હુકમ કે ઈજાઝત આપે તો કિરાનની સૂરતથી કરવામાં આવે કારણકે ઈજાઝતથી કિરાનના જાઈઝ હોવાની ફૂકહાએ કિરામે(રહ.) ચોખવટ કરી છે.
ગુંજાઈશની સૂરતમાં ”તમત્તુઅ” કરે કે ”કિરાન” કરે હજની કુર્બાની હજ કરનારે પોતાના ખર્ચે આપવી પડશે મોકલનારના શિરે કુર્બાનીનો ખર્ચ આપવો જરૂરી નથી.(જવાહિરૂલ ફિકહ – ર/પ૧૬, હિદાયહ – ર૭૮, દુ.મુખ્તાર શામી ર/ર૪૭)
Log in or Register to save this content for later.