Chapter : હજ
(Page : 199-200)
સવાલ :– મારો ભાઈ આ વર્ષે મારી દાદીના નામની હજ કરવા ચાહે છે અને તેણે પોતાની હજ ગયા વર્ષે કરી લીધી છે અને દાદી પર હજ ફર્ઝ ન હતી અને તેમણે વસિય્યત પણ નથી કરી તો હજ્જે બદલના શું શું અરકાન છે તથા નિય્યત તથા પોતાના નામની હજ્જે બદલના અરકાનમાં શું શું ફર્ક છે. હજ થશે કે નહિ? અને હજ કરનાર તાઈફમાં રહે છે. ખુલાસાવાર બધા અરકાન લખી જણાવશો.
જવાબ :– જયારે દાદી પર હજ ફર્ઝ ન હતી અને વસિય્યત પણ કરી નથી, તમારો ભાઈ પોતે જ ઈસાલે સવાબની નિય્યતથી હજ કરવા ચાહે છે, તો હજ્જે બદલ કરવાની બે સૂરતો છે. એક તો પહેલાં પોતાની નિય્યતથી પોતાના માટે નફલી હજ અદા કરે અને ફારિગ થયા પછી એ નફલી હજનો સવાબ દાદી મર્હૂમહને અલ્લાહ તઆલા પાસે એમ દુઆ કરી પહોંચાડી આપો કે યા અલ્લાહ આ હજને કબૂલ કરી એનો સવાબ મારા દાદી સાહેબા મર્હૂમહને પહોંચાડી આપો.
મતલબ કે જે પ્રમાણે પોતાના માટે હજ કરી છે તે જ પ્રમાણે અરકાન વાજિબો સુન્નતો અને આદાબની પાબંદી કરી હજ અદા થશે, કોઈ બીજો તરીકો નથી, ફકત છેવટમાં દુઆ કરી હજનો સવાબ દાદી મર્હૂમહને પહોંચાડવાનો રહેશે.
બીજી સૂરત એ છે કે શરૂથી જ દાદીની નિય્યતથી હજ કરવામાં આવે તો આ સૂરતમાં હજના એહરામ વખતે આ પ્રમાણે નિય્યત કરવી કે હું દાદી સાહેબહ માટે આ એહરામ બાંધું છું અને તલબિય્યહ પઢું છું, અને શબ્દોમાં પણ દુઆ વખતે એમ કહે કે ”ઈન્ની ઉરિદુલ હજ અન જદ્દતી, ફ યસ્સિરહુ લી વ તકબ્બલહુ મિન્હા” અને એહરામના તલબિય્યહ વખતે કહે કે ”લબ્બયક અન જદ્દતી”. તો આ સૂરતમાં પણ દાદી સાહિબાને પણ સવાબ પહોંચશે. આ સૂરતમાં પણ ફકત નિય્યત, દુઆ અને તલબિય્યહમાં ઉપર પ્રમાણે ફર્ક પડશે. બાકી ફર્ઝો, વાજિબો વગેરે પોતાની હજની જેમ જ અદા કરવામાં આવશે અને આ બીજી સૂરત બેહતર છે માટે એ પ્રમાણે દાદી તરફથી હજ કરવી બેહતર છે. (શામી–૧/૮૪૪)
Log in or Register to save this content for later.