[૧પ૧] મોકલનારના વતનથી હજ્જે બદલ બેહતર છે

Chapter : હજ

(Page : 209)

સવાલ :–હજ્જે બદલ માટે મકકહ શરીફમાં ત્યાંના વતની મુઅલ્લિમ સાહેબ વ્યવસ્થા કરી આપે તો શું ત્યાંનો માણસ હજ્જે બદલ કરે તો તે હજ્જે બદલ થઈ જશે ?

જવાબ :– મુઅલ્લિમને હજ્જે બદલની વ્યવસ્થા ન સોંપવી બેહતર છે કારણ કે ગરબડનો સંભવ રહે છે અને બેહતર એ જ છે કે જેના તરફથી હજ્જે બદલ કરાવવાની હોય તેના વતનથી કોઈ માણસને હજ્જે બદલ માટે મોકલવામાં આવે.        (ઝુ.મનાસિક–ર/૧પ૪)

Log in or Register to save this content for later.