[૧પ૦] હજ્જે બદલ માટે કેવો માણસ જોઈએ

Chapter : હજ

(Page : 208-209)

સવાલ :–હનફી મસલકમાં હજ્જે બદલ જનાર માણસ અથવા ઔરતનું આ પહેલાં પણ હજ કરી આવેલ હોવું જરૂરી છે ?

જવાબ :– હજ્જે બદલના દુરસ્ત થવા માટે જનાર માણસનું પોતે હાજી હોવું જરૂરી તો નથી, પરંતુ જો તે વ્યકિત એવી માલદાર હોય કે પોતાના ઉપર હજ ફર્ઝ હોવા છતાં પોતાની હજ પઢી ન હોય તો તેને હજ્જે બદલ માટે મોકલવો મકરૂહ છે અને તેની હજ્જે બદલ મકરૂહે તહરીમી છે. અને જો તેના ઉપર હજ ફર્ઝ ન હોય તો પણ તેને હજ્જે બદલ માટે મોકલવો મકરૂહ છે. અને તેની હજ્જે બદલ મકરૂહે તનઝીહી છે. માટે એહતિયાત અને બેહતર એ છે કે કોઈ એવા માણસને હજ્જે બદલ માટે મોકલવામાં આવે જેણે પોતાની ફર્ઝ હજ પઢી લીધી હોય અને તે હજના મસાઈલનો આલિમ અને પૂરો જાણકાર હોય. (શામી–ર/ર૪૧,ઝુ.મનાસિક–૧/૧પ,૧૬)

Log in or Register to save this content for later.