[૧પપ] હજ્જે બદલમાં તમત્તુઅ અને કુરબાની

Chapter : હજ

(Page : 214-215)

સવાલ :– ઝૈદનો ઈન્તેકાલ થયો તેમણે હજ માટે વસિય્યત કરી નથી પરંતુ તેમના કુટુંબીઓ તેમના તરફથી હજ કરવા ચાહે છે તો હજ્જે બદલ કરવાવાળાએ એહરામ કઈ રાતે બાંધવો જોઈએ? તમત્તુઅનો એહરામ બાંધી શકે છે ?

                અગર ઝૈદે પોતે વફાત પહેલાં પોતાના તરફથી હજ કરવા માટે વસિય્યત કરી હોય તો હજ્જે બદલ કરનારે કઈ જાતનું એહરામ બાંધવું જોઈએ?

જવાબ :– જો મરહૂમની વસિય્યત વગર તેના કુટુંબીજનો મરહૂમ તરફથી હજ્જે બદલ કરાવે તો મોકલનારની ઈજાઝતથી તમત્તુઅ અને કિરાનનું એહરામ બાંધી શકાય છે, હા, તમત્તુઅ તથા કિરાનનો દમ હજ્જે બદલ કરનારે પોતે આપવો પડશે. હજ કરાવનારના માલમાંથી કરવામાં આવે નહિ અને જો તેઓ તરફથી તમત્તુઅ અથવા કિરાનની ઈજાઝત ન હોય તો માત્ર ઈફરાદનો જ એહરામ કરવો પડે જો મરહૂમ ઝૈદે પોતે પોતાની હજ્જે બદલની વસિય્યત કરી હોય અને તમત્તુઅ કે કિરાનની કોઈ ચોખવટ ન કરી હોય તો હજ્જે બદલ કરનાર ફકત ઈફરાદનો જ એહરામ બાંધી શકે છે તમત્તુઅ કે કિરાનનો એહરામ બાંધવો જાઈઝ નથી. (મુ. મનાસિક–૩/૧પ૪)

Log in or Register to save this content for later.