[ર૯] મૃત શવહરના ભાઈ તથા અન્ય રિશ્તેદારો સાથે વિધવાના નિકાહ

Chapter : નિકાહ

(Page : 59)

સવાલઃ– અમારે ત્યાં ર૪ / ૪ / ૮પ ના તોફાનમાં એક ભાઈ પોલીસ ગોળીબારથી શહીદ થઈ ગયા, મર્હૂમના વાલિદૈન ગુજરી ગયેલ છે, પરંતુ મરહૂમને ત્રણ ભાઈઓ તથા બે બહેનો છે, વાલિદૈનની વફાત બાદ ભાઈઓ તથા બહેનોની શાદી થઈ જવાથી બધા અલગ રહે છે, મર્હૂમને છેલ્લા ત્રણ વરસથી બધુ આપી દીધેલ હોવાથી તેઓ સ્વતંત્ર  મજુરી ધંધો કરતાં હતાં.

                હવે મર્હૂમની ઓરતના નિકાહ નીચે દર્શાવેલ રિશ્તેદારો સાથે  થઈ શકે છે કે કેમ ?

                (૧) મર્હૂમના મોટા ભાઈ (ર) મર્હૂમના નાના ભાઈ (૩) મર્હૂમ તથા વિધવાના કયા કયાં રિશ્તેદારો સાથે નિકાહ થઈ શકે ? તે જણાવશો.

જવાબઃ– થઈ શકે છે અને મર્હૂમના દરેક એવા રિશ્તેદાર સાથે તે નિકાહ કરી શકે છે જેને મર્હૂમના બાપ, દાદા–નાના હોવાની સગાઈ અથવા છોકરો, પૌત્રો કે નવાસો હોવાની સગાઈ ન હોય.

વિધવાના જે રિશ્તેદારો તેના મહરમ હોય તેની સાથે નિકાહ ન કરી શકે, ગેર મહરમ સાથે નિકાહ થઈ શકે.        (શામી ભા.ર)

Log in or Register to save this content for later.