Chapter : ઝકાત
(Page : 71)
સવાલ :– સરકાર તરફથી અમુક રકમ જી.પી.એફ. તરીકે ફરજિયાત કાપવામાં આવે છે પણ આવકવેરા માંથી બચવાના આશયથી અમુક વધારે રકમ પણ મરજિયાત ધોરણે કપાવીએ છીએ. આ રકમ આવકવેરા માંથી બચવાના આશયે કપાવીએ છીએ. તો આ વધારાની મરજિયાત કપાતી રકમ ઉપર ઝકાતની અદાયગી કેવી રીતે કરવી ? દર વરસે કરી આપવી કે આ રકમ હાથમાં આવે ત્યારે અદા કરવી ?
જવાબ :– જી.પી.એફ.ની મરજિયાત કપાત રકમ ઉપર ઝકાતનો હુકમ ફરજિયાત કપાત રકમ ની ઝકાત જેવો જ છે. એટલે કે જયાં સુધી તે રકમ વસૂલ ન થાય ત્યાં સુધી તે રકમ ઉપર ઝકાત લાગુ નહિ પડે. પરંતુ કોઈ માણસ જી.પી.એફ.ની રકમ વસૂલ થયા પછી ફરજિયાત અને મરજિયાત બંનેવ રકમની પાછલા વર્ષોની ઝકાત જે તે સાલમાં જેટલી રકમ જમા થઈ હતી તેનો હિસાબ કરી ઝકાત આપી દે તો એ બેહતર અને અફઝલ છે. (જદીદ મસાઈલ – ૯૦)
Log in or Register to save this content for later.