[૯૭] અસર અને ફજર પછી તવાફની બે રકઆતો

Chapter : હજ

(Page : 133-134)

સવાલ :– મકકહમાં હર તવાફ પછી બે રકઆત પઢવામાં આવે છે, તો અસર પછી તવાફ કરીએ તો બે રકઆતનું શું કરવું અસર તથા ફજર બાદ નફલ પઢવાનો હુકમ નથી જેથી મઝકૂર સૂરતમાં શું કરવું ?

જવાબ :– અસર અને ફજરની નમાઝ પછી તવાફ કરવામાં આવે તો તવાફની બે રકઅતો તે વખતે પઢવી મકરૂહ છે, તે મકરૂહ વખત વીતી ગયા પછી પઢવામાં આવશે, તુલૂએ આફતાબ પછી ૧પ–ર૦ મિનિટ પછી અને મગરીબની નમાઝ પછી તવાફની બે રકઅતો પઢવામાં આવે. (શામી – ર)

Log in or Register to save this content for later.