Chapter : હજ
(Page : 130-131)
સવાલ :– આજકાલ લોકો હાજીને ખાવાની દાવત આપે છે, ફુલહાર કરે છે, મીઠાઈની ટોપલી આપે છે અને હાજીએ તેમના માટે સફરથી કંઈ ને કંઈ લાવવું પડે છે, તો હજ પઢવા જતાં પહેલાં સગા અને જાણ પહેચાનમાં મળવા જવું જરૂરી છે?
જવાબ :– હજ માટે જતી વખતે સગા સ્નેહીઓથી મુલાકાત કરી તેઓથી માફી તલાફી કરવી અને તેઓની દુઆ લેવી મુસ્તહબ છે. ફુલહાર એક ગેરજરૂરી રસમ છે તેનો ત્યાગ કરવો જોઈએ અને હદિયો લેવો દેવો પણ જરૂરી કે મુસ્તહબ નથી બલ્કે હાજીએ જતી વખતે ગરીબોને પોતાનાથી જે બને તે સદકો આપવો મુસ્હબ છે. (શામી –ર/૧પ૦)
Log in or Register to save this content for later.