Chapter : નમાઝ
(Page : 350)
સવાલ :– અમારા શહેરમાં અમુક મહોલ્લાઓમાં નવ ઉમર બાલિગ અને નાબાલિગ છોકરાઓ પાછળ મહોલ્લાની ઓરતો ઈશાની નમાઝ તથા કુર્આન શરીફની તરાવીહ અદા કરે છે અને આ જમાઅતમાં મહોલ્લા તથા આસપાસની ઓરતો બેપરદગી સાથે આવી શરીક થાય છે, તો ઓરતો માટે આ રીતે ઈશા અને તરાવીહની નમાઝ અદા કરવી શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે કે નહિ ?
જવાબ :– જેવી રીતે મહોલ્લાની ઓરતોએ ફર્ઝ નમાઝો જમાઅત સાથે પઢવા માટે મહોલ્લાની મસ્જિદમાં જવું નાજાઈઝ છે, એવી જ રીતે ઈશા અને કુર્આન શરીફની તરાવીહની નમાઝ માટે કોઈ મહોલ્લા અને તેના આસપાસની ઓરતોએ તે મહોલ્લાના કોઈ ઘરમાં પરદા સાથે કે વિના પરદે જવું અને ભેગા થઈને કોઈ હાફિઝ સાહેબ પાછળ જમાઅતથી ઈશા અને તરાવીહની નમાઝ પઢવી એ મકરૂહ અને ગેર સહીહ છે અને નમાઝના સવાબમાં કમી થવાનું કારણ છે અને નાબાલિગ હાફિઝ સાહેબની ઈમામત અને તેમની પાછળ બાલિગ મર્દો અને ઓરતોની નમાઝ સહીહ અને જાઈઝ થતી નથી, અલબત્ત બાલિગ હાફિઝ સાહેબના ઘરની ઓરતો તેમની પાછળ તરાવીહની નમાઝ જમાઅતથી પઢી શકે છે.(શામી ભા.–૧)
Log in or Register to save this content for later.