Chapter : નમાઝ
(Page : 345)
સવાલ :– એક હાફિઝ સાહેબે ગુસ્સામાં આવી કસમ ખાય લીધી કે જયાં સુધી ઝૈદ નોકરી ઉપર છે ત્યાં સુધી ઝૈદની જગ્યા ઉપર નમાઝ નહિં પઢાવું, ત્યાર પછી થોડા દિવસો પછી જ મજકૂર હાફિઝ સાહેબે તે જગ્યા ઉપર નમાઝ પઢાવી તો આ સૂરતમાં મુકતદીઓની નમાઝ વિના કરાહતે સહીહ રીતે અદા થયેલી ગણાશે કે નહિ ? અને ત્યાર બાદ એક દિવસે ઝૈદે પોતે જ મજકૂર હાફિઝ સાહેબને નમાઝ પઢાવવા માટે કહ્યું અને હાફિઝ સાહેબે નમાઝ પઢાવી અને હવે તેઓ અવાર–નવાર નમાઝ પઢાવતા જ રહે છે તો આવી બાબતમાં કસમ ખાવી અને કસમ ખાધા પછી કફફારો અદા કર્યા વિના નમાઝ પઢાવવી શરીઅતની રૂએ કેવું છે ? અને મુકતદીઓની નમાઝ મકરૂહ થશે કે નહિ ? અને કસમનો કફફારો કેવી રીતે અદા કરવામાં આવે?
જવાબ :– ઝૈદના નોકરી છોડતાં પહેલાં ઝૈદની જગ્યાએ હાફિઝ સાહેબના નમાઝ પઢાવવાથી તેઓની કસમ તૂટી ગઈ છે અને હાફિઝ સાહેબની મજકૂર કસમ પછી હાફિઝ સાહેબ પાછળ નમાઝ પઢનાર મુકતદીઓની નમાઝ વિના કરાહતે જાઈઝ અને દુરૂસ્ત છે. ઈમામતની લાયકાત ધરાવનાર માણસે આવી નમાઝની ઈમામત જેવી નેકી ન કરવાની કસમ ન ખાવી જોઈએ અને કોઈ કારણસર આવી કસમ ખાય લેવામાં આવે તો શરીઅતનો હુકમ એ જ છે કે એવી કસમને તોડીને કફફારો આપી દેવો જોઈએ. હાફિઝ સાહેબે પોતાની મજકૂર કસમ તોડી નાંખી એ શરીઅતના હુકમના મુતાબિક કામ છે. (‘શામી ૩/૬ર,૧ર૭)
હાફિઝ સાહેબની કસમ તૂટી જવાથી હાફિઝ સાહેબે કસમનો કફફારો આપવો વાજિબ છે અને કસમનો કફફારો આ પ્રમાણે છે દસ ગરીબોને કાચુ અનાજ આપવું જોઈએ અથવા રોકડ રકમ આપવી જોઈએ, કાચા અનાજનું પ્રમાણ આ છે કે દસ ગરીબોમાંથી દરેકને એક સદકએ ફિત્ર બરાબર ઘઉં એટલે કે એક કિલો ૬૩પ ગ્રામ, ૮૭૬ મી.ગ્રામ ઘઉં અથવા એટલા ઘઉંની રોકડ કિંમત અથવા એટલી કિંમતનું બીજું કોઈ કાચું અનાજ આપવું જોઈએ, કફફારો અદા કરવાની એક આ સૂરત પણ છે કે દસ ગરીબોને બપોર–સાંજ બે ટાઈમ પેટ ભરીને ખાવું ખવડાવવામાં આવે અને એક આ સૂરત પણ છે કે દસ ગરીબોમાંથી દરેકને મધ્યમ પ્રકારનો માણસ પહેરતો હોય એ પ્રકારનું, એટલું કાપડ આપવામાં આવે કે જે સામાન્ય રીતે બદન ઢાંકવાના કપડાઓ માટે પૂરતું હોય, જો કોઈ માણસ તદ્દન ગરીબ હોય અને ઉપરોકત બતાવવામાં આવેલી કોઈ સુરત મુજબ કફફારો અદા કરવા શકિતમાન ન હોય તો કસમના કફફારહ રૂપે લગાતાર ત્રણ દિવસના રોઝા રાખે. (‘શામી ૩/૬૦,૬૧)
Log in or Register to save this content for later.