Chapter : નમાઝ
(Page : 332)
સવાલ :– મારે મુસાફરી દરમ્યાન એક મસ્જિદમાં ફજરની નમાઝ પઢવા જવાનું થયું. મસ્જિદના ઈમામ હાજર ન હોવાથી બીજા ભાઈએ ફજરની નમાઝ પઢાવી તો ફજરની બીજી રકાતમાં તેઓ રુકૂઅમાંથી ઊભા થઈને, સજદહમાં જવાના બદલે ઊભા રહીને દુઆ માંગવા લાગ્યા અને દુઆ પૂરી કરી પછી સજદહમાં ગયા અને આ પ્રમાણે ફજરની નમાઝ પૂરી કરી તો મારી ફજરની નમાઝ અદા થઈ કે નહિ, જે ભાઈએ ફજરની નમાઝ પઢાવી તે શાફિઈ મસલકના હતા.
જવાબ :– તમોએ ફજરની નમાઝ શાફિઈ ઈમામ પાછળ પઢી અને તેઓ શાફઈ મસલક મુજબ ફજરની બીજી રકાતમાં દુઆએ કુનૂત પઢયા અને તમો ખામોશ ઊભા રહયા, તેનાથી તમારી નમાઝમાં કોઈ ફસાદ કે કરાહત પેદા થઈ નથી, તમારી નમાઝ દુરૂસ્ત થઈ ગઈ છે. (‘શામી ૧/૪૪૯)
Log in or Register to save this content for later.