Chapter : હજ
(Page : 193-194)
સવાલ :– કદાચ પચાસ ટકા હું આઠમી ઝુલહજ પહેલાં હૈઝથી પાક ન થઈ શકી તો મારે હજની નિય્યત કેવી રીતે કરવી? અને હજે તમત્તુઅમાં જે હજના અરકાન છે તે મુજબ જ હજના અરકાન કરવાના રહેશે કે પછી એમાં કંઈક ફેરફાર કરવું પડશે? અને અગર જો ફેરફાર કરવાના રહેશે તો જે ફેરફાર કરવાના છે તે વિગતવાર જણાવવા મહેરબાની કરશો.
જવાબ :– ૯મી ઝુલહજ સુધી હૈઝ ચાલુ રહેવાના કારણે ઉમરહ અદા ન કરી શકવાથી ઉમરહ કર્યા વગર ઉમરહનો એહરામ છોડયા પછી હવે તમારે હજે ઈફરાદ પઢવાની છે, એટલે મુફરિદ હાજીની જેમ હજની નિય્યત આ પ્રમાણે કરવામાં આવે :
અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલ્ હજ ફયસ્સિરહુ લી વતકબ્બલહુ મિન્ની
(હે અલ્લાહ ! હું હજની નિય્યત કરું છું, મારા માટે તેને આસાન ફરમાવી આપો અને મારી હજ કબૂલ ફરમાવી લો)
અને તલબિય્યહ પઢી હજનો એહરામ બાંધવામાં આવે, તે પછી હજના અરકાન તે પ્રમાણે અદા કરવામાં આવે જે રીતે હજજે તમત્તુઅમાં અદા કરવાના હોય છે, અલબત્ત, નવમીઝુલહજના તુલૂએ આફતાબ સુધી અરફાત માટે રવાના થતાં પહેલાં ગુસલથી પાક થઈને તવાફે કુદૂમ અદા કરવાની સરળતા હોય તો તવાફે કુદૂમ કરી લેવો સુન્નત છે અને હજે તમત્તુઅમાં હજની કુરબાની વાજિબ હતી અને હવે હજે ઈફરાદ પઢવાની છે એટલે હજની કુરબાની કરવી વાજિબ નથી. આ સિવાય હજે તમત્તુઅ અને ઈફરાદની અદાયગીમાં કોઈ ફેરફાર નથી.(ઉમ. ફિકહ :૪/૧૬ર)
Log in or Register to save this content for later.