[૧૩૪] હૈઝમાં એહરામ બાંધનારે બે રકઆત પઢવાની નથી

Chapter : હજ

(Page : 189-190)

સવાલ :– એક ઔરત હજમાં જાય છે. મુંબઈથી એહરામ બાંધવાનો છે અને તે વખતે તે ઔરત હૈઝની હાલતમાં હોય અને મક્કહ શરીફ પણ એ જ હાલતમાં જાય અને ત્યાં ગુસલ કરી પાક થાય ત્યારે તે ઔરતે બે રકઆત નફલ નમાઝ પઢવાની કે નહિ?
જવાબ :– હૈઝવાળી ઔરત માટે પણ એહરામમાં દાખલ થતાં પહેલાં એહરામ બાંધવા માટે મીકાતથી પહેલાં કે મીકાત ઉપર શરીરની સફાઈ માટે ગુસલ કરવું મુસ્તહબ છે અને ગુસલ કર્યા પછી કિબ્લા રૂખ બેસીને ઉમરહ કે હજની નિય્યત કરીને તલબિય્યહ પઢી લેવાથી એહરામમાં દાખલ થઈ જશે. એહરામની બે રકઆત નમાઝ હૈઝ – નિફાસની હાલતમાં એહરામ બાંધનાર ઔરત માટે સુન્નંત નથી અને હૈઝ બંધ થઈ ગયા પછી તેની કઝા પણ નથી. જેવી રીતે તેના માટે ફર્ઝ – વાજિબ નમાઝોની કઝા નથી. અલબત્ત, હૈઝ બંધ થયા પછી ગુસલ કરીને મકરૂહ વખત ન હોય તો તહિય્યતુલ વુઝૂની નિય્યતથી બે રકઆત નફલ પઢી શકે છે. (શામી – ર/૧પ૬, ઉમ. ફિકહ–૪/૧૧૯)

Log in or Register to save this content for later.