Chapter : હજ
(Page : 151-152)
સવાલ :– અમો હજમાં ગયા હતા ત્યારે બે દિવસ તો અમારી વાલિદહ અને અહલિયા બન્ન મિનામાં અમારી સાથે આવ્યા હતા અને તેઓએ પોતે કાંકરી મારી હતી. બીજા દિવસે કાંકરી મારવા જતાં ઘણી જ ગીરદી હતી એટલે ત્રીજા દિવસે અમો હમારી વાલિદહ તથા અહલિયાને સાથે તો લઈ ગયા પણ એમના વતી અમોએ પથ્થર માર્યા હતા તો શું અમોએ દમ દેવો પડશે અને હજ વખતે આજુબાજુથી કોઈ હજ પઢવા જનારને અમો કહી આપીએ કે તમો હમારો પણ દમનો એક હિસ્સો અથવા બે હિસ્સા રાખશો તો હમારો દમ અદા થઈ જશે? શું દમમાં મોટા જાનવરનો હિસ્સો ચાલશે કે બકરો જ લેવો પડશે કે પછી દમ આપવો નહિ પડે કારણ કે હમારી સાથે ઘણા હાજીઓ એવા હતા જે ઔરતોને આ પ્રમાણે કાંકરી મારવા ન લઈ ગયા હતા.
જવાબ :– જે પુરૂષ કે ઔરત ઉભા રહીને નમાઝ પઢી શકતા હોય અને ચાલી ફરી શકતા હોય તેણે પોતાની રમી માત્ર રમી કરનારાઓની ભીડના કારણે બીજા પાસે કરાવવી જાઈઝ નથી. માટે તમારી વાલિદહ અને અહલિયા ઉપર ત્રીજા દિવસની બદલ દમ આપવો જરૂરી છે. અને હજમાં જનાર કોઈ વ્યકિતને સવાલમાં લખવા મુજબ દમ આપવાનો વકીલ બનાવી દમ અપાવવાથી દમ અદા થઈ જશે અને વાલિદહ તથા અહલિયા બન્ન તરફથી મોટા જાનવરમાં બે ભાગો રાખવાથી અથવા બે બકરા ખરીદી દમ આપવાથી દમ અદા થઈ જશે. મજકૂર દમ માટે બકરો ખરીદી દમ આપવો જરૂરી નથી. (ઝુ.મનાસિક – ૧/૧૬૪)
Log in or Register to save this content for later.