[૧૧ર] ઔરતે રાત્રે રમી કરવી અને બીમારીના કારણે બીજાને નાયબ બનાવવો

Chapter : હજ

(Page : 149-150)

સવાલ :– શેતાનને કાંકરી મારતી વખતે મજબૂર અને બીમાર ઔરતને રાત્રે કાંકરી મારવાની છુટ છે કે નહિ? અને તે કદાચ પોતે કાંકરી ન મારી શકતી હોય તો તેના માટે શું હુકમ છે? તેના તરફથી કોઈ બીજો માણસ કાંકરી મારી શકે છે કે નહિ?

જવાબ :– જે દિવસની રમી કરવાની હોય તે દિવસની રમી ઔરત માટે  તે દિવસ પસાર થઈ ગયા પછી જે રાત શરૂ થાય તે રાત્રે કરવી પણ જાઈઝ છે બલ્કે દિવસમાં કાંકરી મારનારાઓની ભીડના કારણે ઔરત માટે રાત્રે કાંકરી મારવી અફઝલ છે.

                જે ઔરત એવી બીમાર હોય કે ઉભી થઈને નમાઝ ન પઢી શકતી હોય, અને પગે ચાલીને અથવા ગાડીમાં બેસીને કાંકરી મારવાની જગ્યા સુધી પહોંચવામાં તેને સખ્ત તકલીફ થાય તેમ હોય, અથવા ત્યાં ગાડી જઈ તો શકે છે પરંતુ હાથ ઉઠાવીને જમરાતને કાંકરી નથી મારી શકતી તો આવી બીમાર અને મઅઝૂર ઔરત શરીઅતની નઝરમાં મઅઝૂર અને મજબૂર ગણાય છે અને તે બીજા કોઈ પુરૂષ કે ઔરત હજ પઢનારને પોતાના તરફથી કાંકરી મારવાનો નાયબ બનાવી શકે છે અને બીજી વ્યકિત તેની ઈજાઝતથી નાયબ બન્યા પછી તેના તરફથી કાંકરી મારી શકે છે.              (ઝુબ્દતુલ માનસિક – ૧/૧પ૬)

Log in or Register to save this content for later.