[૧૧પ] જિદ્દહવાસી એહરામ બાંધી જિદ્દહથી સીધો મિનામાં પહોંચી જાય

Chapter : હજ

(Page : 153)

સવાલ :– જિદ્દહથી ઘણા લોકો હજનો એહરામ બાંધીને જિદ્દહથી સીધા જ મિનામાં ચાલ્યા જાય છે. પહેલા મક્કહ મુકર્રમહ જતા નથી તો આ પ્રમાણે મક્કહ મુકર્રમહ જતાં પહેલાં સીધા મિનામાં જઈ શકાય કે નહિ?

જવાબ :–  જે લોકો જિદ્દહના રહેવાસી હોય અથવા નોકરી ધંધા અર્થે જિદ્દહમાં રહેતા હોય તે લોકો માટે પણ આફાકી હાજીની હજ અદાયગી મુજબ વુકૂફે અરફાતથી પહેલાં મક્કહ મુકર્રમહ જવું અને આઠમી ઝુલહજે ત્યાંથી મિનામાં જવું સુન્‍નતે મુઅક્કદહ છે. માટે જિદ્દહવાસીઓ માટે ચાહે તવાફે કુદૂમ સુન્‍નત નથી, પરંતુ વિના કોઈ મજબૂરીએ જિદ્દહથી સીધા મિનામાં જવું મકરૂહ છે. હા,  વખતની તંગી વિ. જેવી કોઈ મજબૂરી હોય તો સીધા મિનામાં જવું મકરૂહ નથી.

(શામી – ર/૧૭ર, ઝુ.મનાસિક – ૧/૮૯)

Log in or Register to save this content for later.