[૧૦૭] હાજી ઉપર હજ અને ઈદની કુરબાની વાજિબ થવાની વિગત

Chapter : હજ

(Page : 140-141)

સવાલ :–  એક ભાઈ હજ પઢવા માટે બયતુલ્લાહ શરીફ ગયા છે તો તેમના ઉપર વાજિબ કુર્બાની અહિંઆ ઘર ઉપર કરવી પડશે અથવા હજમાં હજ પછી જે કુર્બાની વાજિબ છે તે કરી આપશે તો ચાલશે? હજમાં હાજી ઉપર કેટલી કુરબાની વાજિબ છે? અને હજની કુરબાની તેના વતનમાં થઈ શકે કે નહિ?

જવાબ :– જે હાજી બીજી જગ્યાએથી મકકહમાં હજ માટે જાય છે તે સામાન્ય રીતે મુસાફિર હોય છે, માટે તેના ઉપર ઈદની કુર્બાની જે માલદાર હોવાના લઈ વાજિબ થાય છે તે વાજિબ થતી નથી, જો આઠમી ઝિલહજ સુધી સતત પંદર દિવસ મક્કહમાં રહેવાની તેની નિય્યત હોય તો તે મુકીમ ગણાશે અને તેની ઉપર ઈદની કુરબાની પણ વાજિબ થશે.          (અલ બદાઈઅ – પ/૬૩)

                રહી હજની કુરબાની તો એ વિષે ખુલાસો આ પ્રમાણે છે કે જો હાજી એક જ સફરમાં બે અલગ અલગ એહરામોથી ઉમરહ અને હજ બન્‍નવ અદા કરે છે જેને ”તમત્તુઅ” કહે છે અથવા એક સાથે બન્‍નવનો એહરામ બાંધી હજ અને ઉમરહ અદા કરે છે જેને ”કિરાન” કહે છે તો હજની કુરબાની વાજિબ થશે. અને તે ફકત એક જ કુર્બાની વાજિબ છે. અને જો ઉમરહ ન કરે ફકત હજ જ અદા કરે તો હજની કુર્બાની પણ વાજિબ નહીં થાય. જોે ”તમત્તુઅ” કે ”કિરાન” કરવાથી હજની કુર્બાની વાજિબ થતી હોય તો ત્યાં મકકહ મુકર્રમહમાં જ કરવી પડશે. હજની કુર્બાની વતનમાં ન થઈ શકે. (શામી–ર/૧૯૩, દુ,મુખ્તાર શામી – ર/રપ૦)

Log in or Register to save this content for later.