[૧૦૬] મીકાતની અંદર નોકરી કરનાર માટે વતન આવતી વખતે તવાફે વિદાઅ

Chapter : હજ

(Page : 138)

સવાલ :– કોઈ હિન્દુસ્તાની માણસ મીકાતની અંદર નોકરી કરતો હોય અને તે અમુક દિવસો માટે અથવા હંમેશા માટે રજા લઈ પોતાના વતનમાં આવવા ચાહે તો તેને તવાફે વિદાઅ કરવો જરૂરી છે કે કેમ?

જવાબ :– એ વાત જાણી લેવી જોઈએ કે તવાફે વિદાઅ હજના વાજિબોમાંથી છે. માટે જો મીકાતની અંદર નોકરી કરતો હિન્દી માણસ હજ પઢવા જાય અને ત્યાંથી સીધો વતન આવવાનો હોય તો એને તવાફે વિદાઅ કરવો પડશે. જો તવાફે ઝિયારત પછી તરત કરી લે તો પણ અદા થઈ જશે, પણ છેલ્લે વતન પાછા ફરવાના સમયે કરવો મુસ્તહબ છે.

                એવી જ રીતે જો હજ કરી સીધો નોકરીના સ્થળે જવાનો છે પણ ત્યાં પંદર દિવસ રોકાવાની નિય્યત કર્યા વગર થોડા દિવસો રોકાયને ઘરે આવવાનો છે તો પણ તવાફે વિદાઅ વાજિબ થશે.

                અને જો નોકરીની જગ્યાએ પંદર દિવસ અથવા તેથી વધુ રોકાણની નિય્યત કરી રોકાણ કર્યા પછી વતન પાછો  ફરવાનો છે તો આ માણસ પર તવાફે વિદાઅ વાજિબ નથી. કારણ કે તે મીકાતની અંદરનો રહેવાસી ગણાશે અને મીકાતી માણસ પર હજમાં તવાફે વિદાઅ વાજિબ નથી.  (આલમગીરી – ૧ / ર૩૪,ર૩પ)

                હા, જો આ માણસ નોકરીની જગ્યાએથી ૪૮માઈલ (૭૮ કિ.મી.)નો સફર કરી હજ કરવા જાય છે તો ચાહે ત્યાર બાદ નોકરીની જગ્યાએ પાછો ફરી પંદર દિવસ અથવા એથી વધુ રોકાણની  નિય્યતથી રોકાવાનો હોય તો પણ મજકૂર માણસ ઉપર તવાફે વિદાઅ વાજિબ થશે કારણ કે હજ વખતે એ હાજી મીકાતી રહ્યો નથી. અને એ માણસ તવાફે ઝિયારત બાદ જયારે મકકહ મુકર્રમહથી રવાના થવાનો ઈરાદો કરે ત્યારે તવાફે વિદાઅ કરી લે. ખાસ વતન પાછા ફરતી વખતે તવાફે વિદાઅ કરવો જરૂરી નથી.

Log in or Register to save this content for later.