[૧ર૪] તેરમીની રમી ઝવાલથી પહેલાં

Chapter : હજ

(Page : 168-169)

સવાલ :– જો અમો પોતાની રાજીખૂશીથી તેરમી ઝુલહજની (ચોથા દિવસની) રમી માટે મિનામાં રોકણ કરીએ તો તેરમી તારીખની ફજરની નમાઝ પછી અને તુલૂએ આફતાબથી પહેલાં રમી કરવી અથવા તુલૂએ આફતાબ પછી અને ઝવાલથી પહેલાં અથવા પછી કરવી અને ઝવાલથી પહેલાં રમી કરવાથી કોઈ નુકસાન તો નહિ થાય? અને કોઈ દમ વગેરે વાજિબ તો નહિ થાય ?

જવાબ :– તેરમી ઝુલહજે ચોથા દિવસની રમી તુલૂએ સુબ્હે સાદિક પછી અથવા તુલૂએ આફતાબ પછી અને ઝવાલથી પહેલાં કરવી જાઇઝ તો છે, પરંતુ મકરૂહે તનઝીહી છે અને મજકૂર વખતમાં ચોથા દિવસની રમી જાઈઝ હોવાના કારણે કોઈ દમ વગેરે વાજિબ નહિ થાય, અલબત્ત, ચોથા દિવસની રમીનો કરાહતથી ખાલી અને મસ્નૂન વખત ઝવાલ પછી જ છે.   (શામી– ર/૧૮પ, ગુન્યહ –૯૮,ઝુબ. ૧/૧૯૦)

Log in or Register to save this content for later.