Chapter : હજ
(Page : 167-168)
સવાલ :– હજના અરકાનમાં છે કે ત્રણ દિવસ શયતાનને કાંકરી મારવી અને પહેલા દિવસે ઝવાલથી પહેલાં કાંકરી મારવાની હોય છે, તો અમુક હાજીઓએ પહેલા દિવસે સાંજે ચાર વાગ્યે કાંકરી મારી અને ખબર ન હોવાથી આજ સુધી દમ કે કફફારો પણ આપ્યો નથી તો એમની હજમાં કોઈ નુકસાન થયેલું ગણાશે અને હવે કોઈ બદલ આપવો જરૂરી ખરો કે જેના આપવાથી હજ સહીહ થઈ જાય?
જવાબ :– પહેલા દિવસે રમી કરવાનો મસ્નૂન વખત તુલૂએ આફતાબથી ઝવાલ સુધી છે અને ઝવાલથી ગુરૂબે આફતાબ સુધી ગેર મકરૂહ, જાઈઝ વખત છે, માટે જે હાજીએ પહેલા દિવસે ઝવાલ પછી અને ગુરૂબ આફતાબથી પહેલાં રમી કરી છે, તે રમી વિના કરાહતે જાઈઝ ગણાશે અને તે રમી તેના નિયુકત જાઈઝ વખતમાં સહીહ રીતે અદા કરેલી ગણાશે અને મસ્નૂન વખત પછી અદા કરવા બદલ દમ કે અન્ય કફફારો લાગુ નહિ પડે અને હજ પણ અદા થયેલી ગણાશે. અલબત્ત, કોઈ કારણ વિના મજકૂર રમીના મસ્નૂન વખતથી તેને મોડી ન કરવી જોઈએ. (ગુન્યહ – ૯૬)
Log in or Register to save this content for later.