Chapter : હજ
(Page : 166-167)
સવાલ :– મુઝદલિફહથી આવીને ચાર કામો તરતીબથી કરવાના હોય છે, રમી, કુરબાની, હલક, તવાફે ઝિયારત અને તવાફે ઝિયારત પછી હાજી એહરામથી સંપૂર્ણ હલાલ થાય છે. એક સાહેબનું કહેવું છે કે તવાફે ઝિયારત એક – બે દિવસ આગળ કરી લીધો હોય તો બાકીના ત્રણ કામો જ તરતીબથી કરવા પડશે, તો શું તેઓનું આ મંતવ્ય સહીહ છે?
જવાબ :– તવાફે ઝિયારતની અદાગયી રમી, ઝબહ અને હલક પછી સુન્નત છે, આ તવાફે ફર્ઝ અને બીજા ત્રણ કામો વચ્ચે તરતીબ મસ્નૂન છે. મજકૂર તરતીબ વાજિબ નથી, માટે જો તવાફે ઝિયારતનો વખત શરૂ થયા પછી એટલે દસમી ઝુલહજનો દિવસ શરૂ થયા પછી રમી, ઝબહ અને હલક ત્રણેવથી પહેલાં અથવા અમુકથી પહેલાં તવાફે ઝિયારત અદા કરી લેવામાં આવે તો તવાફ અદા અને જાઈઝ તો થઈ જશે અને કોઈ દમ પણ વાજિબ નહિ થાય, પરંતુ મજકૂર મસ્નૂન તરતીબ વિરૂદ્ય ત્રણ કામોથી પહેલાં અથવા અમુકથી પહેલાં તવાફ કરવો મકરૂહ છે અને દસમી ઝુલહજથી પહેલાં ફર્ઝ તવાફ કરવો તો જાઈઝ અને દુરસ્ત જ નથી. (શામી–ર/૧૪૮,૧૮૩)
Log in or Register to save this content for later.