Chapter : નમાઝ
(Page : 323)
સવાલ :– કિરાઅતવાળી ફર્ઝ નમાઝમાં ઈમામ સાહેબ બીજી રકઅતમાં ઘણી વાર કોઈપણ સૂરતની છેલ્લી ત્રણ આયતો પઢે છે, જેનાથી નમાઝ તો થઈ જાય છે, તો શું આ રીત ખિલાફે અવ્લા છે? જો ખિલાફે અવ્લા થતું હોય તો ખિલાફે અવલા શું છે? અને એનાથી નમાઝમાં શું નુકસાન છે? તે મસ્અલાની રૂએ જણાવશો.
જવાબ :– બને ત્યાં સુધી મસ્નૂન કિરાઅતની રિઆયત કરી ફર્ઝ નમાઝની દરેક રકઅતમાં પૂરી સૂરત પઢવી જોઈએ, દરેક રકઅતમાં અમૂક આયતો પઢવી અને મોટા ભાગે એજ પ્રમાણે કિરાઅત કરવી એ ખિલાફે અવ્લા, અફઝલ વિરૂધ્ધ અને મકરૂહે તનઝીહી છે. સાહિબે બહર અલ્લામા ઈબ્ને નુજૈમ (રહ.) એ તો કિરાઅતની આવી આદતને ખિલાફે સુન્નત બતાવી છે, ખિલાફે અવ્લાનો મતલબ આ છે કે તેને છોડવું તેના કરવાથી અફઝલ અને બેહતર છે અને તેને કરવાથી સવાબમાં કમી થાય છે. (‘શામી’–૧/૮૯,૩૧૮,૩૬૩, બહર–૧/૩૪૦)
Log in or Register to save this content for later.