[ર૯૬] કિરાઅતમાં વકફની ભૂલ

Chapter : નમાઝ

(Page : 323)

સવાલ :– હું વડોદરા જેતલપૂર મહોલ્લાની મસ્જિદમાં ઈમામત કરૂં છું, મગરિબની નમાઝમાં સૂરએનસ્ર (ઈઝા જાઅ નસ્રૂલ્લાહ)માં ”વસ્તગ્‌ફિર્‌હુ” પર વકફ ન કર્યો, આ વકફ પર વકફુન્નબિય્ય (સલ.) લખેલું છે તો આ જગાએ વકફ ન કરવાથી મારી નમાઝ થશે કે કેમ ? મારા એક મુકતદી જે મુખાલિફીનમાંથી છે, તેમનું કહેવું છે કે નમાઝ ફાસિદ થઈ ગઈ છે અને વકફે લાઝિમ જયાં મીમ લખેલું હોય ત્યાં વકફ ન કરીએ તો નમાઝ થશે કે કેમ ?

જવાબ :– કુર્આન મજીદમાં સહીહ રિવાયતોથી અને ઈજમાએ ઉમ્મતથી ઘણી જગ્યાએ વકફ સાબિત છે, પરંતુ જે જગ્યાએ વકફ કરવાની અલામત અને નિશાની લખેલી હોય નમાઝની બહાર કે નમાઝમાં તે જગ્યાએ વકફ કરવો બેહતર છે, જરૂરી અને લાઝિમ નથી. અને કુર્આન કરીમમાં જયાં વકફ લાઝિમ ની નિશાની લખેલી હોય છે ત્યાં વકફનું લાઝિમ હોવું માત્ર તજવીદની દ્રષ્ટિએ છે, બાકી નમાઝના કે નમાઝની કિરાઅતના સહીહ થવા માટે વકફે લાઝિમની નિશાની પર વકફ કરવું જરૂરી અને લાઝિમ નથી. અને વકફ ન કરવાથી નમાઝમાં કોઈ કરાહત અને ખરાબી તથા ફસાદ લાઝિમ નહીં આવે, વકફ કરવાની જગ્યાએ વકફ ન કરવા છતાં પણ નમાઝ જાઈઝ અને દુરૂસ્ત ગણાશે.

(અહ. ફતાવા–૩/૮૬,ઈ.ફતાવા –૧/૩૦૧,૩૦૭)

Log in or Register to save this content for later.