Chapter : નમાઝ
(Page : 321)
સવાલ :– બે જુદી જુદી સૂરતોની છેલ્લી આયતો જહરી નમાઝની પહેલી રકઅતમાં પઢવી ખિલાફે અવ્લા છે. દા.ત. સૂરએ બકરહની છેલ્લી ત્રણ આયતો પહેલી રકઅતમાં અને સૂરએ આલે ઈમરાનની છેલ્લી ત્રણ આયતો બીજી રકઅતમાં પઢવું ખિલાફે અવ્લા છે. કારણ કે ૧૯પ૦માં હઝરત મુફતી કિફાયતુલ્લાહ (રહ.) ને મેં જાતે પૂછેલ અને તેમનો જવાબ ખિલાફે અવ્લાનો જ હતો અને હવાલો શામીનો હતો, તે કાગળ કયાંક ખોવાઈ ગયો છે અને હાલમાં ઈમામો બારીક મસાઈલથી નાવાકિફ છે, એટલે તેમને બતાવવા ખાતર તમારા વિચારો દર્શાવશો. ઈમામને નમાઝમાં એકાએક લૂકમો આપવો સારૂં નથી. ઈમામ જો એક આયતને બરાબર દોહરાવે અથવા કિરાઅતની શરૂમાં જ ભૂલ કરે તો મુકતદી મજબુરીએ લૂકમો આપે અથવા મઅ્નામાં થોડો ફેરફાર થતા જુએ તો બતાવે. હાં, જો મઅ્નામાં ફાહિશ ગલતી હોય તો નમાઝ ફાસિદ થઈ જશે, આ મારા વિચારો છે.
જવાબ :– નમાઝની પહેલી રકઅતમાં એક સૂરતની આખરી આયતો પઢવી અને બીજી રકઅતમાં બીજી કોઈ સૂરતની આખરી આયતો પઢવી ખરેખર ખિલાફે અવ્લા અને મકરૂહે તન્ઝીહી છે. (શામી : ૧/૩૬૭)
Log in or Register to save this content for later.