Chapter : નમાઝ
(Page : 318)
સવાલ :– જુમ્અહની ફજરમાં પહેલી રકાતમાં સૂરએ સજદહ અને બીજી રકાતમાં સૂરએ દહ્ર પઢવું સુન્નત છે, એવું ઘણા આલિમોથી સાંભળ્યું છે, પરંતુ હમારી મસ્જિદમાં થોડો ઈખ્તિલાફ છે. અમુક મુક્તદીઓનું કહેવું છે કે જ્યારે આ પઢવું સુન્નત છે તો એને કેમ કરી છોડી શકાય ?
દરેક જુમ્અહની ફજરમાં આ સુન્નત અદા થવી જોઈએ અને તેવા મુક્તદીઓ તરફથી ઈમામને ફરજ પાડવામાં આવે છે.
અમુક મુક્તદીઓનું કહેવું છે, હમારા ઘડપણ અને ઝઈફીનો ખ્યાલ કરવામાં આવે, અમે થાકી જઈએ છીએ, ચક્કર આવે છે. અમુક જુમ્અહના સૂરએ સજદહ છોડી દેવામાં આવે. (આ મુક્તદીઓ પણ નમાઝ–રોઝાના પાબંદ છે).
તો સવાલ આ છે કે ઈમામે કોની વાત પર અમલ કરવો, હર જુમ્અહના સૂરએ સજદહ પઢે કે અમુક અમુક જુમ્અહના છોડી દે ?
જવાબ :– જુમ્અહની ફજરની નમાઝમાં સૂરએ સજદહ અને સૂરએ દહ્ર કોઈ કોઈ વાર પઢવી મુસ્તહબ છે. દરેક જુમ્અહની ફજરમાં તેના પઢવાને જરૂરી સમજવું મકરૂહ છે અને દરેક જુમ્અહની ફજરમાં એ જ સૂરતો પાબંદીથી પઢવી એ પણ મકરૂહ છે, કારણ કે અવામ સમજશે કે આ જ સૂરતો પઢવી જરૂરી છે, તેના વગર બીજી કોઈ કિરાઅત જુમ્અહની ફજરમાં જાઈઝ નથી. માટે દરેક જુમ્અહની ફજરમાં તે સૂરતો ન પઢવામાં આવે, બલ્કે કદી કદી પઢવામાં આવે. અને જો કદી કદી છોડી દેવામાં આવે અને વધુ ભાગે ગેર જરૂરી સમજી પઢવામાં આવે તો પણ વાંધો નથી. મુસ્તહબ સમજી પઢી શકાય છે. (શામી–ભા.૧/૩૬પ)
Log in or Register to save this content for later.