Chapter : નમાઝ
(Page : 316)
સવાલ :– એક માણસ નફલ નમાઝમાં પોતે નક્કી કરેલ સૂરતો પઢતો હોય, જેમ કે ઈશ્રાકની નમાઝમાં સૂરએ યાસીન, ચાશ્તમાં નબઅ્, અવ્વાબીનમાં સૂરએ વાકિઅહ, તહજ્જુદમાં સૂરએ મુલ્ક, તગાબુન વગેરે. આ મુજબનો દરરોજનો કાર્યક્રમ હોય છે. તો નફલમાં આમ પોતે પોતાની જાતે નક્કી કરી સૂરતો પઢવાથી નમાઝમાં કંઈ વાંધો ખરો ? એક જાણકાર માણસે કહયું કે ઉપર મુજબ સૂરતો નક્કી કરી પઢવું મકરૂહ છે.
જવાબ :– સવાલમાં જણાવ્યા મુજબ અલગ અલગ નમાઝોમાંથી દરેક નમાઝ માટે કોઈ અમુક જ સૂરતો નક્કી કરી દેવી મકરૂહ છે. માટે તરતીબ બદલીને પણ પઢતા રહેવું જોઈએ. (હિદાયહ અવ્વલૈન)
Log in or Register to save this content for later.