[ર૮૧] દિવસ–રાતની નમાઝમાં જોરથી કે આહિસ્તા કિરાઅત

Chapter : નમાઝ

(Page : 312)

સવાલ :– ઘરમાં એકલા ફર્ઝ, સુન્નત, નફલ, વાજિબ નમાઝ પઢવી હોય તો શું જોરથી કિરાઅત પઢે કે ધીમેથી મનમાં પઢે ?

જવાબ :– ઈશા, ફજર અને મગરિબની નમાઝ ઘરમાં કે મસ્જિદમાં એકલા પઢતા હોય તો કિરાઅત થોડા અવાઝથી અને આહિસ્તા બન્ને રીતે પઢવી જાઈઝ છે, પરંતુ થોડા અવાઝથી પઢવી મુસ્તહબ છે અને અસર તથા ઝોહરમાં એકલા નમાઝ પઢનારે પણ કિરાઅત આહિસ્તા પઢવી વાજિબ છે. જો વાજિબ–સુન્નત અથવા નફલ નમાઝ રાત્રે એકલા પઢવામાં આવે તો જોરથી અને આહિસ્તા બન્ને રીતે કિરાઅત કરવી જાઈઝ છે અને જમાઅતથી પઢવામાં આવે તો જોરથી કરવી વાજિબ છે અને જો મજકૂર નમાઝો દિવસમાં પઢવામાં આવે તો આહિસ્તા કિરાઅત કરવી વાજિબ છે ચાહે એકલા પઢવામાં આવે કે જમાઅતથી પઢવામાં આવે.                                                  (શામી : ૧/૩પ૮)

Log in or Register to save this content for later.