Chapter : નમાઝ
(Page : 311)
સવાલ :– અમારા ઈમામ સબઅ (સાત) કિરાઅત પણ જાણે છે, જેથી તેઓ કોઈકવાર સબઅમાં પણ નમાઝ પઢાવે છે અને મુક્તદીઓમાં સબઅ જાણનાર કોઈ નથી હોતું, તો જો આવી હાલતમાં ઈમામ સા.ની સબઅમાં ભૂલ જાય તો નમાઝનો શું હુકમ છે ? અને આવી હાલતમાં ઈમામ સા.એ સબઅ કિરાઅત કરવી જોઈએ કે નહીં ?
જવાબ :– પૂછેલી સૂરતમાં કિરાઅતે સબઅમાંથી ગમે તે રિવાયત મુજબ કિરાઅત કરવાથી નમાઝ તો સહીહ થઈ જશે, પરંતુ ઈમામ સાહેબે પોતાના ઈલાકામાં પઢાતી અને અવામમાં સહીહ કિરાઅત રૂપે પ્રચલિત કિરાઅતે હફસ (રહ.) પઢવી જોઈએ. બીજી કિરાઅત પઢવામાં લુકમો આપવાની મુશ્કેલીની સાથે સાથે અવામ તરફથી ઈમામ સાહેબના ગલત પઢવાની ગલત ફહમી અને ચર્ચામાં ગમે તેવા શબ્દો બોલવાથી કુર્આનપાક અને કારી સાહેબની બેઅદબીના ભયની સબળ સંભાવના છે અને પોતાના કમાલ અને કિરાઅતની રિયાકારીનો પણ ભય છે અને આવા કારણોને લઈને હકીમુલ ઉમ્મત હઝરત મવલાના થાનવી (રહ.)એ રિવાયતે હફસ છોડી બીજી રિવાયતથી કિરાઅત કરવાથી મનાઈ ફરમાવી છે. (શામી ભા. ૧/૩૬૩–ઈમ. ફતાવા ભા. ૧/ર૯૬)
Log in or Register to save this content for later.