[ર૭૯] પહેલી રકાતમાં સૂરએ ‘ફાતિહા પહેલાં‘બિસ્મિલ્લાહ પઢવી સુન્નત છે

Chapter : નમાઝ

(Page : 309)

સવાલ : નમાઝની પહેલી રકાતમાં સૂરએ ફાતિહાથી પહેલાં બિસ્મિલ્લાહ પઢવી વાજિબ છે કે સુન્નત છે? કારણકે ‘તાલીમુલ ઈસ્લામ’, ‘નૂરુલ ઈઝાહ’ વગેરે કિતાબોમાં બિસ્મિલ્લાહ પઢવાને સુન્નત બતાવ્યું છે. જયારે મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)એ ‘તફસીરે મઆરિફુલ કુર્આન’માં અઊઝુ અને બિસ્મિલ્લાહના અહકામમાં લખ્યું છે કે,

“પહેલી રકાતકે શુરૂઅમેં અઊઝુબિલ્લાહ કે બાદ બિસ્મિલ્લાહ પઢના બઈત્તિફાકે અઈમ્મહ વાજિબ હે, ઈખ્તિલાફ સિર્ફ ઈસમેં હે કે આવાજસે પઢા જાએ યા આહિસ્તા. ઈમામે આઝમ અબૂ હનીફહ (રહ.) ઓર બહોતસે દૂસરે અઈમ્મહ આહિસ્તા પઢનેકો તરજીહ દેતે હેં.”(‘મઆરિફુલ કુર્આન ૧)

                જવાબ તલબ વાત આ છે કે અગર કોઈ માણસથી ભૂલથી બિસ્મિલ્લાહ છૂટી ગઈ તો સહવનો સજદો કરવો પડશે કે સહવનો સજદો કર્યા વગર નમાઝ થઈ જશે ?

જવાબ :– નમાઝની પહેલી રકાતમાં સૂરએ ફાતિહાથી પહેલાં બિસ્મિલ્લાહ પઢવા વિશે અમલ માન્ય, રાજિહ અને ઝાહિરે મઝહબનું મંતવ્ય તો એ જ છે કે પહેલી રકાતમાં સૂરએ ફાતિહાથી પહેલાં બિસ્મિલ્લાહનું પઢવું સુન્નત છે, વાજિબ નથી અને આ અમલ માન્ય મંતવ્ય મુજબ જો કોઈ નમાઝી બિસ્મિલ્લાહ પઢવાનું ભૂલી જાય તો સજદએ સહવ વાજિબ નહિં થાય.   (‘શામી ૧/૩ર૯, ‘કબીરી ૩૦૬)

જો કે અમુક આલિમોનું મંતવ્ય એ પણ છે કે બિસ્મિલ્લાહનું પઢવું વાજિબ છે, કારણકે સહીહ હદીસોમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું હંમેશા બિસ્મિલ્લાહ પઢવું સાબિત છે અને ‘શર્હે મુન્યહમાં વાજિબ હોવાના મંતવ્યને અહવત (એહતિયાતવાળું) બતાવ્યું છે અને આ બીજા મંતવ્ય મુજબ જો કોઈ બિસ્મિલ્લાહ પઢવાનું ભૂલી જાય તો સજદએ સહવ કરવો વાજિબ ગણાશે, પરંતુ આ મંતવ્ય અમલ માન્ય નથી.

                ‘મઆરિફુલ કુર્આન’માં બિસ્મિલ્લાહના વાજિબ હોવાનું મંતવ્ય નકલ કરવામાં આવ્યું છે, તે વિશે આ હકીકત જાણવાપાત્ર છે કે, તફસીર ‘મઆરિફુલ કુર્આન’ સર્વ પ્રથમ પાકિસ્તાનમાં પ્રગટ થઈ હતી અને તેની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે, બધાંથી જૂની અને પહેલી આવૃત્તિ ૧૩૮૯ હિ.સ. મુતાબિક ૧૯૬૯ ઈ.સ.માં છપાઈ હતી અને આ પહેલી આવૃત્તિમાં સવાલમાં નકલ કરવા મુજબ પહેલી રકાતમાં બિસ્મિલ્લાહ પઢવાને વાજિબ લખવામાં આવ્યું છે; પરંતુ મઆરિફુલ કુર્આનની બીજી અને નવી આવૃત્તિ હઝરત મૌલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (ન.મ.)ની બીજીવાર નજર પછી નવા સુધારા સાથે હિ.સ. ૧૩૯૯ મુતાબિક ૧૯૭૯ ઈ.સ.માં પ્રગટ થઈ હતી. જેમાં પહેલી રકાત અને તે પછીની દરેક રકાતની શરૂમાં સૂરએ ફાતિહાથી પહેલાં બિસ્મિલ્લાહ પઢવાને સુન્નત લખવામાં આવ્યું છે. માટે આ બીજી અને નવી આવૃત્તિમાં હઝરત મુફતી સાહેબે સુધારો કરીને આ પ્રમાણે લખ્યું છે કે :

” પહલી રકઅતકે શુરૂઅમેં અઊઝુબિલ્લાહ કે બાદ બિસ્મિલ્લાહ પળ્હના મસનૂન હે… પેહલી રકઅતકે બાદ દૂસરી રકઅતોંકે શુરૂઅમેં ભી બિસ્મિલ્લાહ પળ્હના ચાહિયે ઉસકે મસનૂન હોને પર સબકા ઈત્તિફાક હે ઓર બાઝ રિવાયતોંમેં હર રકઅતકે શુરૂઅમેં બિસ્મિલ્લાહ પળ્હનેકો વાજિબ કહા ગયા હે.

(‘શર્હે મુન્યહ, ‘મઆરિફુલ કુર્આન ૧/૭૭, નવી આવૃત્તિ)

                હઝરત મુફતી સાહેબે પોતાના એક ફતવામાં પણ દરેક રકઅતમાં બિસ્મિલ્લાહ પઢવાને સુન્નત જ લખ્યું છે.             (‘ઈમ.મુફતીન ૩પ૬)

                અત્રે એ પણ જાણવા જોગ છે કે ભારતમાં પણ હઝરત મુફતી સાહેબ (ન.મ.)ની તફસીર ‘મઆરિફુલ કુર્આન’ના અનેક પ્રકાશનો બહાર પડયા છે અને તે પાકિસ્તાનમાં પ્રગટિત જૂની નવી વિવિધ આવૃત્તિઓને ફોટો ઓફસેટથી છાપવામાં આવી છે. ‘રબ્બાની બુક ડેપો દિલ્હીએ જૂની અને પહેલી આવૃત્તિનો ફોટો લઈ મજકૂર તફસીર પ્રગટ કરી છે અને ‘મકતબએ મુસ્તફાઈય્યહ દેવબંદે બીજી અને નવી આવૃત્તિનો ફોટો લઈ મજકૂર તફસીર પ્રગટ કરી છે.

Log in or Register to save this content for later.