Chapter : નમાઝ
(Page : 306)
સવાલ :– હાફિઝે કુર્આન, મૌલવી સાહેબ કે હાફિઝ સાહેબ ફર્ઝ નમાઝમાં વારંવાર બે પાંચ દિવસ થાય કે એકનો એક રુકૂઅ પઢયા કરે છે. તો એ વિશે નમાઝમાં કંઈ કરાહિય્યત આવે છે ? કે દરેક વખતે નવા નવા રુકૂઅ કે આયતો પઢવી જોઈએ ?
જવાબ :– ઈમામ સાહેબના પૂરો રુકૂઅ પઢવાથી નમાઝ વગર કરાહતે થઈ જાય છે, ભલેને બે–ચાર દિવસે એક જ રુકૂઅ પઢવામાં આવતો હોય. (‘કબીરી ૩૦૯)
અલબત્ત, ઈમામ અને મુનફરિદ (એકલો નમાઝ પઢનાર) બંને માટે મુસ્તહબ અને મસ્નૂન કરાઅત આ છે કે,
સૂરએ ફાતિહા સાથે ફજર અને ઝોહરમાં તિવાલે મુફસ્સલની સૂરતોમાંથી (એટલે કે સૂરએ હુજુરાતથી સૂરએ બુરૂજ સુધીની સૂરતોમાંથી)કોઈ પૂરી સૂરત પઢે અને અસર ઈશામાં અવસાતે મુફસ્સલની સૂરતોમાંથી કોઈ પૂરી સૂરત અને મગરિબમાં કિસારે મુફસ્સલ સૂરતોમાંથી (એટલે કે સૂરએ લમ્યકુન્થી આખરી કુર્આન સુધીની સૂરતોમાંથી) કોઈ પૂરી સૂરત પઢે. (‘શામી ૧/૩૬૩)
ઉપર મુજબની મસ્નૂન કિરાઅતને છોડવાની આદત બનાવી લેવી એ સુન્નત વિરુદ્ધ અને મકરૂહ છે. (‘શામી ૧/૩૧૮)
Log in or Register to save this content for later.