[ર૭પ] મુન્‌ફરિદ દિવસે કિરાઅત જોરથી પઢે કે આહિસ્તા

Chapter : નમાઝ

(Page : 305)

સવાલ :– દિવસે અદા અથવા કઝા ફર્ઝ નમાઝ એકલો પઢનાર માણસ અથવા દિવસે કોઈ સુન્નત કે નફલ નમાઝ એકલો પઢનાર માણસ બીજાને સંભળાય એ રીતે જોરથી (જહરી) કિરાઅત પઢી શકે કે નહિ ? જો ન પઢી શકે તો જોરથી કિરાઅત પઢવાથી સજદએ સહ્‌વ વાજિબ થશે કે નહિ ?

જવાબ : દિવસે જહરી કઝા કે અદા ફર્ઝ નમાઝ એકલો પઢનાર માણસ જોરથી (જહરી) અને આહિસ્તા (સિર્રી) બન્નેવ રીતે કિરાઅત પઢી શકે છે અને સિર્રી કઝા કે અદા ફર્ઝ નમાઝ એકલા પઢનાર (મુનફરિદ) માટે આહિસ્તા કિરાઅત પઢવી વાજિબ છે અને દિવસે સુન્નત કે નફલ નમાઝ એકલા પઢનાર (મુનફરિદ) માટે આહિસ્તા કિરાઅત પઢવી વાજિબ છે અને જે સુરતમાં આહિસ્તા કરવી વાજિબ છે. તેમાં અગર ભૂલથી જોરથી કિરાઅત પઢશે તો સજદએ સહ્‌વ વાજિબ થશે.   (દુ. મુખ્તાર કમ શામી ૧/૩પ૮)

Log in or Register to save this content for later.