[ર૬૯] નમાઝે મન્નત બેસીને પઢવી

Chapter : નમાઝ

(Page : 302)

સવાલ :– બીમારીની હાલતમાં માનેલી નફલ નમાઝ, તૂટેલા હાથ હોય, અને પગમાં ઈજા હોય, ત્યારે બેસીને પઢી શકાય, અથવા સારૂં થયા પછી પઢવી?

જવાબ :– જો ઉભા રહીને પઢવાની સ્પષ્ટતા સાથે નમાઝ પઢવાની મન્નત ન માની હોય, ઉભા રહીને પઢવાની પાબંદી વગર માત્ર નમાઝ પઢવાની મન્નત માની હોય, તો મજકૂર હાલતમાં મન્નતની નમાઝ બેસીને પઢવી પણ જાઈઝ છે. અને હાલ તુરત બેસીને અદા કરી લેવી બેહતર છે ઉભા રહીને પઢવા માટે તંદુરસ્તીની રાહ જોવી જરૂરી નથી.

(શામી :૧/ર૯૯/તહતાવી અલા દુ.મુખ્તાર–૧/૩૧૮)

Log in or Register to save this content for later.