Chapter : નમાઝ
(Page : 301)
સવાલ :– (૧) કિબ્લારૂખની સહી દિશા આપશો.
(ર) અમારી મસ્જિદનો મિહરાબ અને મસ્જિદ સૂરજ ડુબવાની જગ્યાએથી થોડી ત્રાંસી છે તો આ રીતે જમાઅતની નમાઝ થઈ શકે છે. નીચે મસ્જિદ અને સૂરજ ડુબવાની જગ્યાની નિશાની બતાવીએ છીએ.
સૂરજ ડુબવાની જગ્યા ● ●
–––––––––––––––––
મસ્જિદ
–––––––––––––––––
જવાબ :– પ્રથમ તો એ વાત સમજી લેવી જોઈએ કે સૂર્ય દરરોજ એક જગ્યાએ ડૂબતો નથી. આપણા એરિયામાં સરદીમાં સૂરજ દક્ષિણ તરફ અને ગરમીના લાંબા દિવસોમાં ઉત્તર તરફ વધીને આથમે છે.
બીજી વાત એ છે કે મસ્અલાની દ્રષ્ટિએ સૂર્યના આથમવા સાથે કિબ્લાનો અને મિહરાબનો કોઈ સંબંધ નથી મસ્જિદનો કિબ્લો નકકી કરવા માટે આજ કાલ કિબ્લા કંપાસનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કિબ્લાનો અસલ સંબંધ કઅ્બહ મુઅઝઝમહની સીધ અથવા તેની દિશા નકકી કરવા સાથે છે.
અલબત્ત, કોઈ એવી જગ્યાએ કિબ્લો જાણવાનો પ્રસંગ આવે જયાં કોઈ મસ્જિદ ન હોય, ન કોઈ સ્થાનિક વ્યકિત હોય, અને ન કિબ્લા સૂચક યંત્ર હોય તો સૂર્યને જોઈ પશ્ચિમ દિશા નકકી કરીને ભારતના શેહરોમાં નમાઝ પઢવામાં આવે છે.
Log in or Register to save this content for later.