Chapter : ઝકાત
(Page : 53)
સવાલ :– કો–ઓપરેટીવ સોસાયટીમાં જમા થાપણ અથવા રીકરીંગ ખાતાની જમા થાપણ ઝકાત માટે ગણવી કે બાકી રાખવી? અને તેની પણ લોન લીધેલી હોય તેને દેવું ગણવું કે કેમ ?
જવાબ :– પોતાની રકમ કો–ઓપરેટીવ સોસાયટીમાં કે બીજી કોઈ જગ્યાએ જમા થાપણ તરીકે આપેલી હોય તેને પણ ઝકાતમાં ગણવામાં આવશે, કારણકે શરીઅતની ભાષામાં તે ”દેને કવી” છે. જેના ઉપર ઝકાત ફર્ઝ થાય છે. હા, એ જમા રકમની ઝકાત હાલ અદા કરવી વાજિબ નથી, બલ્કે વસૂલાત સમયે બધાજ વર્ષોની આપવી વાજિબ થશે અને જો એજ પોતાની જમા રકમમાંથી લોન લીધી છે તો એને દેવું ગણવામાં આવશે નહિ, બાકી બધી રકમ પર ઝકાત ફર્ઝ થશે.
Log in or Register to save this content for later.