[૯૦] મઅઝૂર ઔરત હજ કેવી રીતે પઢે ?

Chapter : હજ

(Page : 129-130)

સવાલ :– જે ઔરત ચાલવામાં મોહતાજ હોય તો તેમણે અરકાન કઈ રીતે અદા કરવા?

જવાબ :– જે ઔરત એહરામ બાંધ્યા પછી પોતે ચાલીને તવાફ, સઈ કરવાથી અને રમી કરવાથી મોહતાજ મજબૂર હોય એવી ઔરતે મઅઝૂર હોવાના કારણે ડોલીમાં બેસીને તવાફ કરવો જોઈએ, અને હાથગાડીમાં બેસીને સઈ કરવી જોઈએ, વુકૂફે અરફાત અને વુકૂફે મુઝદલિફહ માટે પણ ગાડીમાં જવું જોઈએ અને કોઈને પોતાનો નાઈબ બનાવીને રમી કરી શકાય છે. જો પોતે જમરાત પાસે ગાડીમાં બેસી જવા ઉપર અને કાંકરી મારવા ઉપર શકિતમાન હોય તો પોતે જઈ કાંકરી મારવી જોઈએ અને જો પોતે કાંકરી મારવા શકિતમાન ન હોય તો કોઈને નાઈબ બનાવવો જાઈઝ છે. અને બીમાર અથવા કમઝોરીના કારણે વુકૂફે મુઝદલિફહ ન કરી શકે તો પણ વાંધો નથી અને તેને છોડવા બદલ કોઈ કફફારો પણ નહિ આપવો પડે.(ઝુબ્દતુલ મનાસિક ભા.૧)

Log in or Register to save this content for later.