[૮૪] જમરાતની રમી

Chapter : હજ

(Page : 119-120)

સવાલઃ– આજની તારીખે પૂરી દુનિયાના માણસો સઉદી અરબમાં રોજી માટે નોકરી કરી રહેલા છે, તેઓ હજ જેવી નેઅમત છોડવા માંગતા નથી, વળી દેશ – પરદેશના હાજીઓ પણ ઘણા આવે છે, આથી હજના ટાઈમમાં (માણસો) હાજીઓનો ઘણો ધસારો હોવાથી જમરાતને કાંકરી (રમી કરતા) મારતા ઘણી તકલીફોનો સામનો કરવા છતાં કાંકરી બતાવેલી હદની બહાર ચાલી જાય તો અરકાન પૂરો થઈ શકે કે કેમ?

જવાબઃ– હજમાં જમરાતની રમી કરવી વાજિબ છે. અને ભીડના લઈ દરેક કાંકરી જમરહને વાગીને નીચે પડે તે મુશ્કેલ હોવાના કારણે જ એ ગુંજાઈશ પણ છે કે જો જમરહથી ત્રણ હાથ અંદરના ભાગમાં પડે તો પણ વાજિબ અદા થઈ જશે અને જો જમરહથી ત્રણ હાથ કે તેથી વધુ દૂર પડે તો વાજિબ અદા નહિ થાય, રમીના દિવસો દરમ્યાન ફરી કાંકરી મારવી પડશે અને ગણત્રી પૂરી કરવી પડશે.        (દુ.મુખ્તાર શામી–ર/૧૭૯)

                જે દિવસની રમીમાં અમુક કાંકરીઓ દૂર પડવાથી ફરી કરવી જરૂરી છે જો તે જ દિવસે અથવા તે દિવસ પૂરો થયા પછી આવતી રાત્રે કરી લેશે તો અદા ગણાશે.  હા, ૧૩મી તારીખની રમીનો સમય ગુરૂબે આફતાબ થવાથી પૂરો થઈ જાય છે, એટલે ગુરૂબ પછી જાઈઝ નથી.

                અને જો એક દિવસની રમી બીજા દિવસે કરી તો તે કઝા ગણાશે માટે જો તે દિવસની પૂરી કાંકરીઓ અથવા અડધાથી વધુ સંખ્યામાં બીજા દિવસે કરી તો કઝા થવાથી દમ આપવો પડશે અને જો અડધી અથવા અડધાથી ઓછી બીજા દિવસે કઝા કરી છે તો દરેક કાંકરી બદલ નકકી પ્રમાણમાં સદકો આપવો પડશે. અને જો ૧૩મી તારીખનો ગુરૂબે આફતાબ થઈ જવાથી રમીનો સમય ખતમ થઈ ગયો તો હવે કઝા પણ નહિ થઈ શકે, બલકે એક દિવસની પૂરી કાંકરીઓ અથવા અડધાથી વધુ સંખ્યામાં અદા અને કઝા ન થઈ શકવાથી દમ આપવો પડશે. અને અડધી અથવા તેથી ઓછી સંખ્યામાં અદા અને કઝા ન થઈ શકવાથી દરેક કાંકરી બદલ નકકી પ્રમાણમાં સદકો આપવો પડશે.     (દુર્રે.મુખ્તાર  શામી – ર/ર૦૭,ર૦૯, હિદાયહ અવ. રપ૬)

Log in or Register to save this content for later.